આપણી વાત

Share it via

શરદપૂનમની રઢિયાળી સદા

        મને સાંભરે આપણી  રાત, સખી !

હસે આકાશે ચંદ્રમાં, તારા લસે;

        મને સાંભરે આપણી રાતા, સખી!

વદને નવજીવન નૂર હતું.

નયને પ્રણયામૃત પૂર હતું;

હ્રદયે રસમાં ચકચૂર હતું.

        મને સાંભરે આપણી રાત, સખી!

ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી

કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી;

કલ્પનાની ઇમારત કૈંક ચણી,

        મને સાંભરે આપણી રાત, સખી!

તારું સ્વાપર્ણ અંતરમાં જ લહુ,

કથા અદભૂત એ જય કોને કહું?

સ્મરનાં જળ માંહી નિમગ્ન રહું.

        મને સાંભરે આપણી રાત, સખી!

રાત રૂપાળી, રૂડી, રસાળી હતી;

આશકોની અપૂર્વ દિવાળી હતી;

આખી ઉત્સવ માફક ગાળી હતી !

        મને સાંભરે આપણી રાત, સખી!

પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો

અંગેઅંગનો ઉત્તમ ભોગ થયો;

અને આખર આમ વિયોગ થયો !

        મને સાંભરે આપણી રાત, સખી!

હસે આકાશે ચંદ્રમા, તારા લસે,

        મને સાંભરે આપણી રાત, સખી!

શરદપૂનામને રઢિયાળી સદા,

        મને સાંભરે આપણી રાત, સખી!

  • કાન્ત’ – મણિશંકર રત્નજી ભટ્ટ

(જન્મ – 20-11-1867, અવસાન – 16-06-1923)

સાગર અને શશી’ જેવુ ઊર્મિકાવ્ય ‘કાન્ત’ને કલમની પ્રસાદી છે. ગુજરાતી ખંડકાવ્યના સ્થાપક.    

2 thoughts on “આપણી વાત”

Leave a Comment

error: Content is protected !!