કોને કોને બોલાવું ? – આશ્લેષ ત્રિવેદી

Share it via

આદત ભૂલી જવાની મળી છે સ્વભાવમાં
કારણ બીજું તો ખાસ નથી અણબનાવમાં.

ખળભળ મચી છે જળમાં કિનારા લગી સળંગ,
પરપોટો એક ફૂટી ગયો છે તળાવમાં.

છોડી સુમનનો સંગ છેડે ચોક ભાગી ગઈ,
નક્કી હશે સુગંધ પવનના પ્રભાવમાં.

વાવી દીધો’તો સ્પર્શ હથેળીમાં કાલ તેં,
ગુલમ્હોર થઈને ઝૂરી રહ્યો આજ ઘાવમાં.

ડૂમા, તરસ, તડપ ને કણસ સાક્ષી છે બધાં,
કોને કોને બોલાવું હું મારા બચાવમાં.

આશ્લેષ ત્રિવેદી

Leave a Comment

error: Content is protected !!