અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં – હરીન્દ્ર દવે
અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,રાધાનું નામ યાદ આવ્યું,રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવબંધ દરવાજે ભાન ફરી આવ્યું. દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટદૂર યમુનાના નીરને વલોવેસ્મરણોનું ગોરસ છલકાય અને માધવનીઆજને અતીતમાં પરોવે. કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતીકુંજગલી કેમ કરી જાવું ? રાધાના નેણની ઉદાસીના કેફ તણીભરતી આ ગોકુળથી આવેમહેલની સૌ ભોગળને પાર કરી માધવનાસૂનમૂન હૈયાને અકળાવે ભીતર સમરાંગણમાં … Read more