નીકળવું છે ~ હરજીવન દાફડા

વારાફરતે વારામાંથી નીકળવું છે;મારે આ જન્મારામાંથી નીકળવું છે; જન્મોથી હું એની અંદર જકડાયો છું,ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે; તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું,મારે તારા-મારામાંથી નીકળવું છે; કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું?સંસારી આ ધારામાંથી નીકળવું છે; અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો,ભીતરના અંધારામાંથી નીકળવું છે. ~ હરજીવન દાફડા

error: Content is protected !!