માણસ બહુ બહુ તો ટોળે વળી શકે !- અશરફ ડબાવાલા

Share it via

પોતાથી અલગ થઈને બીજું શું કરી શકે;
માણસ બહુ બહુ તો ટોળે વળી શકે !

કાગળની સાથે વાત ગમે ત્યારે થઈ શકે;
શાહી સૂરજ નથી કે સાંજે ઢળી શકે.

છે મ્હેલોનો હુકમ કે એને દેશવટો દ્યો
દરવાજો ખૂલતાં જ બધું જે કળી શકે.
`
જે બહારના લય-તાલમાં ઝૂમી જનાર છે;
ઢોલકમાં જઇ અવાજ નહીં સાંભળી શકે.

દ્વારો પવનથી ઊઘડે એવા બધા વિચાર;
સાંકળના ખૂલવાને નહીં સાંકળી શકે.

અશરફ ડબાવાલા

જન્મ તારીખ : 13/07/1948
વતન : અમરેલી (હાલ :શિકાગોમાં ડૉક્ટર)
કાવ્યસંગ્રહ : ધબકારનો વારસ

Leave a Comment

error: Content is protected !!